🌹 જીવન....🌹
એ પ્રશ્ન દરેક ના મન માં આવતો હોય છે..
દરેક નું મન આ પ્રશ્ન થી ચિંતિત હોય છે..
આ જીવ શું છે ?
એનો ઉદ્દેશ શું છે ?
શું છે જીવન .. કંઇક મેળવવા માટે છે ?
શું છે જીવન .. કંઇક ગુમાવવા માટે છે ?
શું જીવન એ છે પોતાને પરમાત્મા ની સાનિધ્ય માં જવું છે ?
અથવા પોતાના સપના ની પાછળ દોડવું છે ?
શું છે આ જીવન ?...
🌹આ જીવન અત્યંત સરળ છે..
એક શાંત જળ ની માફક..
એ એક દર્પણ ની માફક..
આ જીવન છે..દર્પણ શું કરે છે..
દર્પણ તમને શું કરે છે....
દર્પણ એજ બતાવે છે ..જે આપ કરો છો..
તમે દર્પણ માં હસતા જોશો..તો દર્પણ પણ તમને હસતા દેખાશે..
તમે અકળાઈ ને જોશો ...તો દર્પણ એ જ બતાવશે..
તમે પ્રફુલ્લિત થઈ ને જોશો ..તો દર્પણ પણ એ જ બતાવશે...
🌹 એવું જ છે જીવન ..એક દર્પણ ની માફક...
એવું ના વિચારો કે જીવને શું આપ્યું ?
વિચારવાનું એ છે કે જીવન ને તમે શું આપ્યું..?
જો તમે જીવન ને સુખ આપશો..
આનંદ આપશો..
પ્રેમ આપશો...
🌹તો એ જીવન પણ તમને સુખ , આનંદ અને પ્રેમ જ આપશે..